Sher-e-befam
બેફામસાહેબના ખુબ જ સરસ ચંદ ચુનંદા શેર.
જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે, જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે ! ફક્ત જીતવી નથી મારે તો રચવી છે નવી દુનિયા, કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી ! અનુભવથી ના જીવન ઘડ, અનુભવમાં તો લાંછન છે, તમાચાની નિશાની કાંઈ લાલી થઈ નથી શકતી ! પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે, બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો ! - બેફામ |
All times are GMT +5.5. The time now is 08:41 AM. |
Powered by vBulletin® Version 3.8.5
Copyright ©2000 - 2024, Jelsoft Enterprises Ltd.