15th July 2015, 07:25 PM
જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે
શિયાળા ની રાત ઘણી લાંબી હોય છે, તેમાં ફૂંકાતો પવન અસહ્ય હોય છે,
પરંતુ તેની સવાર ઘણી સુંદર,રમણીય, અને મન ને શાંતિ આપનાર હોય છે.
તેવી જ રીતે સફળતા મેળવવા માટે નો સમય ઘણો લાંબો હોય છે.
તેમાં પણ પવન ની જેમ ઘણી અડચણ આવે છે પરંતુ,
તેમાંથી મળતી સફળતા ઘણી શાંતી અને ખુશી આપનાર હોય છે.
“મને સંભળાવી દીધેલી વાત નો અર્થ, મારો સ્વીકાર નથી
મળેલા સવાલના સ્વરૂપ માં જવાબ આપવો એં, મારો સંસ્કાર નથી.”
અર્થાત : કોઈ કઈ પણ કહે અથવા કઈ પણ તમારા પર આરોપો મુકે એનો અર્થ આપણી એ વાત સાથે ની સહમતી નથી સાબિત કરતી.
કડવા, ખરાબ કે અયોગ્ય શબ્દો માં પૂછાયેલા સવાલ ના બદલામાં સારા, સુંદર અને સભ્ય શબ્દો થી આપવામાં આવેલા જવાબ થી આપણા સંસ્કાર ની છબી રજુ થાય છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|